જન્મભૂમિ પંચાગ વિ.સં 2071 (નવેમ્બર 2014થી માર્ચ 2016 સુધી)
પ્રિય વાચકમિત્રો,
જન્મભૂમિ પંચાગ વિ.સં 2071 (નવેમ્બર 2014થી માર્ચ
2016 સુધી)માં આપ મારો ‘જ્યોતિષ અને વાણી’ વિષય પરનો
લેખ વાંચી શકશો. વાણી એ આપણા વ્યક્તિત્વનો અગત્યનો હિસ્સો છે. પસ્તુત લેખમાં જ્યોતિષના
આધારે જાતકની વાણીનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો છે. નવેય ગ્રહોનો જાતકની
વાણી પર કેવો પ્રભાવ પડે છે તે વિશે ચર્ચા કરેલ છે. દ્વિતીયસ્થાન એ વાકસ્થાન છે. દ્વિતીયભાવના
સ્વામીનું અલગ-અલગ રાશિઓમાં અને બાર ભાવમાં કેવું ફળ મળે તે વિશે ઉદાહરણ કુંડળી સહિત
ચર્ચા કરેલ છે. આશા છે જ્યોતિષમાં રસ ધરાવતાં મિત્રોને આ લેખ પસંદ પડશે. લેખ અંગેના આપના
પ્રતિભાવો આવકાર્ય છે. એક લેખક/લેખિકાનું કાર્ય વાચકોના પ્રતિભાવ વગર હંમેશા અધૂરું
રહે છે.
ટિપ્પણીઓ