પોસ્ટ્સ

કુંભ રાશિમાં વક્રી શનિનું બાર રાશિઓ પરત્વે ફળ – જૂન 2024

છબી
જૂન 30 , 2024 ના રોજ શનિ મહારાજ વક્રી બન્યા છે , જે નવેમ્બર 15 , 2024 સુધી રહેશે. આ સમય આત્મમંથન અને આત્મચિંતન કરવાનો રહે. લાંબા સમયથી પડતર રહેલી બાબતો પર ધ્યાન આપી શકાય. જીવનમાં વધુ શિસ્તબદ્ધ બનવવાનો તેમજ ફરજો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત બનવાનો પ્રયત્ન કરી શકાય. ભૂતકાળમાં કરેલી ભૂલો અને ભૂતકાળના અનુભવો પર નજર નાખી તેમાંથી બોધપાઠ લઈ શકાય. વક્રી શનિ ઘણીવાર ભૂતકાળની કાર્મિક ઘટનાઓને ફરી યાદ અપાવે કે ઘટાવે છે. આ સમયનો ઉપયોગ કાર્મિક ઋણની ચૂકવણી કરીને સ્વવિકાસ કરવાનો રહે. જીવનમાં નક્કી કરેલાં લક્ષ્યોની પુન: ચકાસણી કરી શકાય. વક્રી શનિ જીવનમાં અવરોધો અને વિલંબનો સામનો કરાવી શકે છે. ધીરજ અને સાતત્યતા જાળવી રાખવાનો પ્રયત્ન કરવો. Image courtesy: https://pixabay.com કુંભમાં વક્રી બનેલો શનિ બાર જન્મરાશિઓ/જન્મલગ્ન પરત્વે કેવું ફળ આપશે તે જોઈએ. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો , દશા-મહાદશા , અષ્ટકવર્ગના બિંદુઓ વગેરે અનેક પરિબળો પર રહેલો હોય છે. મેષ: એકાદશભાવમાં શનિ વક્રી થઈને ગોચર ભ્રમણ કરી રહ્યો છે. આ સમય મૈત્રીસંબંધો તેમજ પોતાના સામાજીક વર્ત

જ્યોતિષ દ્વારા કમાણી

છબી
ઘણાં લોકો જ્યોતિષ શીખવાં માટે ઉત્સુકતા દર્શાવતા હોય છે. એ પાછળનું કારણ પૂછીએ તો ઘણીવાર જાણવાં મળે કે જ્યોતિષ શીખીને કમાણી કરવી છે. જો ‘ કમાણી ’ કરવી એ જ જ્યોતિષ શીખવાં પાછળનો હેતુ હોય તો તે તદ્દન અયોગ્ય અભિગમ કહી શકાશે. જ્યોતિષ એ દૈવીય વિજ્ઞાન છે અને તેનો પહેલો અને એકમાત્ર હેતુ લોકોની મદદ કરવાનો જ હોઈ શકે. હા , એનો મતલબ એમ નથી કે જ્યોતિષ નિ:શુલ્ક જોવાનું હોય. દક્ષિણા તો વૈદિક ફિલસૂફીનું અભિન્ન અંગ છે. આપવું અને લેવું એ આ સંસારનો નિયમ છે. પરંતુ જ્યોતિષની મદદથી પૈસા કમાઈ લેવાં છે કે આવકનું સાધન ઊભું કરવું છે તો આ રસ્તો તમારાં માટે નથી. સૌ પ્રથમ તો જ્યોતિષ એ કંઈ ચપટી વગાડતાં શીખી જવાય એવી વિદ્યા નથી કે આમ શીખી ગયાં અને આમ કમાવાં લાગ્યાં. આ તો વર્ષોની એકધારી સતત સાધના અને સમર્પણનું પરિણામ હોય છે. ઉપરાંત કોઈ દૈવીય વિજ્ઞાનનો સ્વાર્થ માટે ઉપયોગ ફક્ત અને ફક્ત કર્મના બંધનમાં વધારો કરે છે. જ્યોતિષ જરૂર શીખો , પરંતુ તે શીખવાનો હેતુ આધ્યાત્મિક હોવો જોઈએ. ભૌતિક હેતુ અશુભ કર્મના પટારાનો ભાર વધારવા સિવાય બીજું કશું નહિ કરી શકે.

કેતુ - હ્રદયથી અનુભવવાનો ગ્રહ

છબી
શ્રી વિષ્ણુ ભગવાને મોહિની સ્વરુપ ધારણ કરીને અસુરનું બે ભાગમાં છેદન કર્યું હતું. અસુરનું મસ્તક એ રાહુ અને ધડ તે કેતુ છે. આમ કેતુને મસ્તક નથી. કેતુ એ આંતરિક શક્તિ છે. એવી આંતરીક શક્તિ જે મસ્તક વગર વિચારી શકે છે , આંખ વગર જોઈ શકે છે , કાન વગર સાંભળી શકે છે અને નાક વગર શ્વસી શકે છે! મસ્તિષ્કમાં ઉદ્ભવતી ચિંતાઓથી કેતુ પર છે. જ્યારે સંસારરૂપી દરિયામાં તોફાન આવે ત્યારે મસ્તિષ્કમાં ઉદ્ભવતાં સવાલો કેતુને કનડી શકતાં નથી. કેતુ હ્રદયની સ્ફૂરણાથી સંપૂર્ણ જાણનારો ગ્રહ છે. એ જાણે છે એટલે અલિપ્ત રહી શકે છે , શાંત રહી શકે છે. ઉચ્ચ સ્તરે કેતુ મહાન યોગીઓ તેમજ ઋષિઓનો નિર્દેશ કરે છે. એવી વ્યક્તિઓ જેમણે આધ્યાત્મિક સિદ્ધિઓ હાંસલ કરી છે. નિમ્ન સામૂહિક સ્તરે કેતુ વિરોધાભાસી મૂલ્યો તેમજ હિંસા અને સંઘર્ષ તરફ દોરી જતી માન્યતાઓ સૂચવે છે. વિચારોના અભાવને લીધે આવેલી જડતાનો નિર્દેશ કરે છે. મસ્તક વગર કેતુને જીવનની કોઈ ચોક્કસ દિશા નિર્ધારિત કરવામાં કે કોઈ ચોક્કસ દિશામાં પ્રયત્ન કરવામાં જરાં પણ રસ નથી. કેતુ એ અર્થહીન સિદ્ધિઓની પ્રાપ્તિથી લાગતા થાકનો નિર્દેશ કરે છે. તેને અસ્થાયી વસ્તુઓમાંથી પ્રાપ્ત થયેલાં આનંદમાં

શુક્રદેવ, વિવાહ અને મા લક્ષ્મીજીની કૃપા

શુક્ર એ ભૌતિક સુખ-સુવિધાનો અને સુંદરતાનો કારક ગ્રહ છે. શુક્રદેવ અને મા લક્ષ્મીજી ક્યારેય ગંદકીમાં વાસ કરતાં નથી. એટલે જો એમની કૃપા પામવી હોય તો આસપાસનું વાતાવરણ શુદ્ધ રાખવું . ઘરની સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. નિત્ય સ્નાન કરીને સાફ-સુથરા અને સુંદર વસ્ત્રો ધારણ કરવાં જોઈએ. સફાઈ અને સુંદરતાના ઉચ્ચત્તમ ધોરણો જાળવી રાખવાં જોઈએ. જ્યારે પણ શુક્રનો સંબંધ જન્મલગ્ન સાથે થતો હોય ત્યારે વ્યક્તિ સુંદર વસ્ત્રો-આભૂષણો ધારણ કરનારી હોય છે. શુક્ર નિર્બળ હોય ત્યારે વ્યક્તિનો દેખાવ અને વસ્ત્રો અનાકર્ષક હોઈ શકે છે. આપણે જ્યારે સ્વચ્છ-સુંદર વસ્ત્રો-આભૂષણો ધારણ કરીએ છીએ , સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કુંડળીમાંના શુક્રને બળ પ્રદાન કરીએ છીએ. શુક્ર એ લગ્નનો કારક ગ્રહ છે. જે યુવતીઓના વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તેણે વિશેષરૂપથી સુંદર વસ્ત્રો , આભૂષણો ધારણ કરી નિત્ય શૃગાંર કરવો જોઈએ. આમ કરવાથી શુક્રને બળ મળે છે અને વિવાહ જલ્દી થવાની સંભાવના બને છે.

શ્રી આદિત્ય હ્રદય સ્તોત્ર (ગુજરાતી અર્થ સહિત)

છબી
આદિત્ય હ્રદય સ્તોત્ર સૂર્યદેવની સ્તુતિ માટે વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડમાં આપેલ છે. વાલ્મીકી રામાયણમાં અગત્સ્ય ઋષિએ ભગવાન શ્રીરામને આદિત્ય હ્રદય સ્તોત્રથી સૂર્યની સ્તુતિ કરવાની સલાહ આપી હતી. અગત્સ્ય મુનિની સલાહ માનીને ભગવાન શ્રીરામે આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કર્યો અને રાવણનો વધ કરી શક્યા. આદિત્ય હ્રદય સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી જીવનને આધ્યાત્મિક અને શારીરિક સ્વસ્થતાની   દિશામાં લઈ જઈ શકાય છે. ચેતનામાં દિવ્યતાનો અનુભવ કરી શકાય છે. આ સ્તોત્રમાં સૂર્યના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે.   નિયમિત આ સ્તોત્રના પાઠ કરવાથી સૂર્યના ગુણો આત્મસાત થઈને શક્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શારીરિક તંદુરસ્તીની પ્રાપ્તિ થઈ શકે છે. રોગોનો નાશ થઈને સ્વસ્થ-તંદુરસ્ત જીવન જીવવામાં સહાય મળે છે. માનસિક શાંતિ , ધ્યાન અને સ્થિરતાનો અનુભવ કરી શકાય છે. ॥ વિનિયોગ ॥ ૐ અસ્ય આદિત્ય હૃદયસ્તોત્રસ્યાગસ્ત્યઋષિરનુષ્ટુપછન્દઃ , આદિત્યહૃદયભૂતો ભગવા‌ન્‌ બ્રહ્મા દેવતા નિરસ્તાશેષવિઘ્નતયા બ્રહ્મવિદ્યાસિદ્ધૌ સર્વત્ર જયસિદ્ધૌ ચ વિનિયોગ : । ॥ ઋષ્યાદિન્યાસ ॥ ૐ અગસ્ત્યઋષયે નમઃ , શિરસિ । અનુષ્ટુપ્‌ છન્દસે નમઃ , મુખે। આદિત્ય

ચંદ્ર અને એકલતા

ચંદ્રનું એક નામ છે ‘ વિધુ ’. વિધુ એટલે કે એકલો , એકાંત. પુરાણો અનુસાર ચંદ્રએ દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ કે જે ૨૭ નક્ષત્રોનું પ્રતિનિધિત્વ કરે છે તેમની સાથે વિવાહ કર્યા હતાં. ૨૭ પત્નીઓ હોવા છતાં ચંદ્ર શાં માટે અને ક્યારે વિધુ એટલે કે એકલો કહેવાયો ? જન્મકુંડળીમાં ચંદ્ર જ્યારે પાપગ્રહોથી દૂષિત કે પીડિત હોય ત્યારે જાતક એકલાંપણું અનુભવે છે. આ ઉપરાંત જ્યારે ચંદ્રની સાથે તેમજ ચંદ્રથી દ્વિતીય અને દ્વાદશભાવમાં કોઈ ગ્રહ ન હોય એટલે કે કેમદ્રુમયોગ થયેલો હોય ત્યારે પણ જાતક એકલતાનો અનુભવ કરે છે. આવાં જાતકોને સમાજ , મિત્રો , સગા-સંબંધીઓ વગેરેના સાથ-સહકાર કે મદદની ઉણપ સાલે છે અને પોતે એકલાં  પડી ગયાની ભાવના અનુભવે છે.

બુધ અને શનિની યુતિ

જ્યારે જન્મકુંડળીમાં બુધ અને શનિની યુતિ કે અન્ય રીતે શુભ સંયોગ થયેલો હોય ત્યારે જાતક એકાગ્રતા અને વિચારોનું ઊંડાણ ધરાવનાર હોય છે. ચોકસાઈપૂર્વક , સ્પષ્ટ સ્વરૂપે અને પદ્ધતિસર કાર્યો કરનાર હોય છે. ખંતીલા હોય છે. આવી વ્યક્તિ આંકડાઓની ગણતરી કરવાની કુશળતા ધરાવતી ઉત્તમ ગણિતજ્ઞ સાબિત થઈ શકે છે. તેઓમાં અગાઉથી સ્થિતિને પારખી લેવાની સમજ હોઈ શકે છે. ઉત્તમ તર્ક ક્ષમતા ધરાવનાર હોઈ શકે છે.