શારદીય નવરાત્રિ 2022 ઘટસ્થાપન મુહૂર્ત
સોમવાર, 26 સપ્ટેમ્બર, 2022થી શારદીય નવરાત્રિનો આરંભ થશે. સૂર્યોદય થયાનાં પહેલાં ચાર કલાકની અંદર ઘટસ્થાપન કરવું શુભ રહે છે. આ ઉપરાંત બપોરે અભિજીત મુહૂર્તમાં પણ ઘટસ્થાપન કરી શકાય છે. દ્વિસ્વભાવ લગ્નમાં ઘટસ્થાપન કરવું શુભ ગણાય છે. શારદીય નવરાત્રિ 2022ના પ્રારંભ સમયે પ્રતિપદા તિથિએ પ્રાત:કાળે દ્વિસ્વભાવ કન્યા લગ્ન પ્રવર્તશે. તે સમયનું શુભ મુહૂર્ત આપેલ છે. સામાન્ય જન ચોઘડિયાં અનુસાર મુહૂર્ત જુએ છે, પરંતુ ચોઘડિયાં અનુસાર ઘટસ્થાપન કરવા અંગે શાસ્ત્રો સલાહ આપતાં નથી. આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી બપોર બાદ ઘટસ્થાપન કરવાનું પણ ટાળવું જોઈએ.
vaidyarupal, CC BY 2.0, via Wikimedia Commons
પ્રતિપદા તિથિ આરંભ: 03:23 AM, સપ્ટેમ્બર 26, 2022
પ્રતિપદા તિથિ
અંત: 03:08 AM,
સપ્ટેમ્બર
27, 2022
ઘટસ્થાપન માટે
સપ્ટેમ્બર 26, 2022ના રોજના મુહૂર્ત:
રાજકોટ:
સવારે 06.37 AM થી
08.12 AM (કન્યા લગ્ન)
બપોરે 12.14 PM થી 01.02 PM (અભિજીત)
અમદાવાદ:
સવારે 06.29 AM થી
08.05 AM (કન્યા લગ્ન)
બપોરે 12.07 PM થી 12.55 PM (અભિજીત)
વડોદરા:
સવારે 06.27 AM થી
08.02 AM (કન્યા લગ્ન)
બપોરે 12.04 PM થી 12.52 PM (અભિજીત)
સુરત:
સવારે 06.28 AM થી
08.03 AM (કન્યા લગ્ન)
બપોરે 12.06 PM થી 12.54 PM (અભિજીત)
મુંબઈ:
સવારે 06.28 AM થી
08.01 AM (કન્યા લગ્ન)
બપોરે 12.06 PM થી 12.54 PM (અભિજીત)
ટિપ્પણીઓ