ન ક્ષતિ ઈતિ નક્ષત્ર એટલે કે જેનો નાશ નથી થતો તે નક્ષત્ર. આકાશમાં જુદા-જુદા સ્થિર તારક સમૂહો રહેલાં છે. તારાઓનાં આ સમૂહો એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ જોઈ શકાય છે. આ તારક વૃંદોને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ. પુરાણો અનુસાર ૨૭ કે ૨૮ નક્ષત્રો એ દક્ષની પુત્રીઓ હતી. દક્ષ બ્રહ્માનો પુત્ર ગણાય છે અને એ પ્રજાપતિ પણ છે. દક્ષે પોતાની પુત્રીઓને ચન્દ્ર સાથે પરણાવેલી હતી. દક્ષની બધી પુત્રીઓમાં રોહિણી ચન્દ્રને સૌથી પ્રિય હતી. બાકીની દક્ષપુત્રીઓની ચન્દ્ર અવગણના કરતો હતો. દક્ષને આની જાણ થતાં તેણે ચન્દ્ર મૃત્યુ પામે તેવો શ્રાપ આપ્યો. પરંતુ બાદમાં પુત્રીઓની દરમ્યાનગીરી અને વિનવણીઓને લીધે તેણે એ શ્રાપ ઘટાડીને થોડી અવધિ પૂરતું ચન્દ્રનું મૃત્યુ થાય તેમ કરી નાખ્યો. આથી ચન્દ્રની કલામાં થતો ઘટાડો અને ફરી થતો વધારો એ દક્ષે ચન્દ્રને આપેલાં શ્રાપનું સૂચક છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નક્ષત્રો એ ક્રાંતિવૃતનું (સૂર્યનો ભ્રમણમાર્ગ) ૨૭ ભાગમાં થતું વિભાજન છે. ક્રાંતિવૃત ૩૬૦ અંશનો બનેલો છે. આથી એક નક્ષત્રનું માપ ૧૩ અંશ ૨૦ કલા થશે. (૩૬૦/૨૭) વધુમાં દરેક નક્ષત્રને ૪ ચરણ/પદમાં વિભાજીત કરવામાં આવ્યા છે. આથી નક્ષત્રનાં એક ચરણન
ચોઘડિયાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે ‘ચોઘડિયાં’ શબ્દથી અપરીચિત હશે. આપણા સમાજમાં દરેક સારા-નરસાં કાર્યનો પ્રારંભ ચોઘડિયું જોઈને કરવામાં આવે છે. હકિકતમાં આપણા પ્રાચીન મુહૂર્ત ગ્રંથોમાં ચોઘડિયાં વિષે કોઈ ઉલ્લેખ નથી. ચોઘડિયા માત્ર યાત્રા-પ્રવાસમાં જ ઉપયોગી થાય છે તેવું માનવામાં આવે છે. પરંતુ સામાન્ય જન સમાજમાં ચોઘડિયાં જોવાની પ્રથા એટલી હદે વ્યાપ્ત છે કે દરેક કાર્યની શરૂઆત કરતા પહેલા તે જોવાનું ચૂકવામાં આવતું નથી. જો શુદ્ધ મુહૂર્ત જોતી વખતે ચોઘડિયાંને અવગણવાની સલાહ આપીએ તો એક જ્યોતિષી તરીકેના આપણા જ્ઞાન પર જ પ્રશ્નાર્થચિહ્ન લાગી જાય! એક ચોઘડિયું આશરે દોઢ કલાકનું બનેલું હોય છે. દોઢ કલાક એટલે કે ૯૦ મીનીટ. પહેલાના જમાનામાં સમયને ઘડીમાં માપવામાં આવતો હતો. ૧ ઘડી = ૨૪ મીનીટ. દોઢ કલાકમાં આશરે ચાર ઘડી (૯૬ મીનીટ) સમાયેલી હોય. આ ‘ચાર ઘડી’ શબ્દનું અપભ્રંશ થઈને ‘ચોઘડિયાં’ શબ્દ પ્રચલનમાં આવ્યો. ચોઘડિયાંની ગણતરી સૂર્યોદયથી શરૂ થાય છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયના એકસરખાં આઠ ભાગ કરવામાં આવે છે. જેટલી મીનીટ આવે તેટલી મીનીટનું એક ચોઘડિયું બને છે. તે જ રીતે રાત્રિના ચોઘડિયાં માટ
ટિપ્પણીઓ