જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિદેવ રોહિણી-શકટ ભેદન કરે ત્યારે પૃથ્વી પર બાર વર્ષો સુધી દુષ્કાળ પડે અને પ્રાણીઓનું બચવું મુશ્કેલ થઈ જાય. કહેવાય છે કે આ યોગ રાજા દશરથના સમયમાં આવનાર હતો. જ્યારે જ્યોતિષીઓએ રાજા દશરથને આ વિશે જણાવ્યું તો પ્રજાને બચાવવા માટે મહારાજ દશરથ પોતાના વિશેષ રથ દ્વારા આકાશ માર્ગે નક્ષત્રમંડળ પહોંચી ગયા. ત્યાં જઈને પહેલાં તેમણે શનિદેવને પ્રણામ કર્યા અને પછી પૃથ્વીવાસીઓની ભલાઈ માટે ક્ષત્રિય ધર્મ અનુસાર યુદ્ધનું આહ્વાન કર્યુ. શનિદેવ તેમની આ કર્તવ્યનિષ્ઠા જોઈને અત્યંત પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. શનિદેવને પ્રસન્ન જોઈને મહારાજ દશરથે એમની સ્તુતિ કરી અને કહ્યું કે ‘ હે શનિદેવ! પ્રજાના કલ્યાણ માટે આપ રોહિણી નક્ષત્રનું ભેદન ન કરો ’. શનિદેવ પ્રસન્ન હતાં અને તેમણે તરત જ મહારાજ દશરથને તથાસ્તુ કહ્યું અને સાથે-સાથે એ પણ કહ્યું કે જે માનવી તમારા દ્વારા કરેલા આ સ્તોત્રથી મારી સ્તુતિ કરશે એની ઉપર મારો અશુભ પ્રભાવ ક્યારેય નહિ પડે. નમ: કૃષ્ણાય નીલાય શિતિકંઠનિભાય ચ । નમ: કાલાગ્નિરુપાય કૃતાન્તાય ચ વૈ નમ: ॥ ૧॥ નમો નિર્માંસદેહાય દીર્ઘશ્મશ્રુજટાય ચ । નમો વિશાલન
ન ક્ષતિ ઈતિ નક્ષત્ર એટલે કે જેનો નાશ નથી થતો તે નક્ષત્ર. આકાશમાં જુદા-જુદા સ્થિર તારક સમૂહો રહેલાં છે. તારાઓનાં આ સમૂહો એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ જોઈ શકાય છે. આ તારક વૃંદોને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ. પુરાણો અનુસાર ૨૭ કે ૨૮ નક્ષત્રો એ દક્ષની પુત્રીઓ હતી. દક્ષ બ્રહ્માનો પુત્ર ગણાય છે અને એ પ્રજાપતિ પણ છે. દક્ષે પોતાની પુત્રીઓને ચન્દ્ર સાથે પરણાવેલી હતી. દક્ષની બધી પુત્રીઓમાં રોહિણી ચન્દ્રને સૌથી પ્રિય હતી. બાકીની દક્ષપુત્રીઓની ચન્દ્ર અવગણના કરતો હતો. દક્ષને આની જાણ થતાં તેણે ચન્દ્ર મૃત્યુ પામે તેવો શ્રાપ આપ્યો. પરંતુ બાદમાં પુત્રીઓની દરમ્યાનગીરી અને વિનવણીઓને લીધે તેણે એ શ્રાપ ઘટાડીને થોડી અવધિ પૂરતું ચન્દ્રનું મૃત્યુ થાય તેમ કરી નાખ્યો. આથી ચન્દ્રની કલામાં થતો ઘટાડો અને ફરી થતો વધારો એ દક્ષે ચન્દ્રને આપેલાં શ્રાપનું સૂચક છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નક્ષત્રો એ ક્રાંતિવૃતનું (સૂર્યનો ભ્રમણમાર્ગ) ૨૭ ભાગમાં થતું વિભાજન છે. ક્રાંતિવૃત ૩૬૦ અંશનો બનેલો છે. આથી એક નક્ષત્રનું માપ ૧૩ અંશ ૨૦ કલા થશે. (૩૬૦/૨૭) વધુમાં દરેક નક્ષત્રને ૪ ચરણ/પદમાં વિભાજીત કરવામાં આવ્યા છે. આથી નક્ષત્રનાં એક ચરણનું
ટિપ્પણીઓ