નવરાત્રિ
નવરાત્રિ એ મા શક્તિની આરાધનાનું પર્વ છે. નવરાત્રિ ચૈત્ર શુક્લ પક્ષ અને આશ્વિન શુક્લ પક્ષમાં એમ વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે. તે દરમ્યાન વસંત અને શરદ ઋતુ હોય છે.
જ્યોતિષની દ્રષ્ટિએ સૂર્ય જે દિશા તરફ જતો દેખાય તે પરથી ઋતુઓ નક્કી થાય છે. સૂર્યની ઉત્તર તરફ જવાની શરુઆતને ઉત્તરાયણ કહેવાય છે. ક્રમે ક્રમે પોતાનાં માર્ગમાં ભ્રમણ કરતાં ૨૨ માર્ચ આસપાસ સૂર્ય વિષુવવૃત પર આવીને વિષુવવૃતને ભેદીને ઉત્તર તરફ જતો દેખાય છે. અહીંથી સૂર્યની ઉત્તર ક્રાંતિ થતી હોઇ તેને સૂર્યનો ઉત્તર ગોલ પ્રવેશ કહેવાય છે. ભારતમાં આ સમય ઉનાળાની શરુઆતનો અને વસંત ઋતુનો હોય છે. સૂર્ય ફરી દક્ષિણ તરફ જવાની શરુઆત કરે તેને દક્ષિણાયનની શરુઆત થઈ કહેવાય છે. આ રીતે દક્ષિણ તરફ આગળ વધતાં ૨૨ સપ્ટેમ્બરની આસપાસ સૂર્ય વિષુવવૃત પર આવે છે અને તેને ભેદે છે. અહીંથી સૂર્યની દક્ષિણ ક્રાંતિ થતી હોઇ તેને સૂર્યનો દક્ષિણ ગોલ પ્રવેશ કહેવાય છે. આ સમય શિયાળાની શરુઆતનો અને શરદ ઋતુનો છે. આમ ઋતુઓનાં બે મહત્વનાં અને પરસ્પર વિરોધી ફેરફારનાં સમયે નવરાત્રિ મનાવવામાં આવે છે. ઋતુઓનાં ફેરફારની અસર વૃક્ષ, વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યો પર થાય છે. નવરાત્રિ મનાવીને આપણે આ પૃથ્વી પર ઋતુઓનું સમતુલન બનાવી રાખતી મા દુર્ગાનો આભાર માનીએ છીએ.
નવરાત્રિ એ ૯ રાત્રિનો તહેવાર છે. અંક ૯ આગવી અગત્યતા ધરાવે છે. જ્યોતિષમાં નવ ગ્રહો રહેલાં છે. ૯ ને કોઇ પણ અંક સાથે ગુણવાથી મળતાં જવાબનાં અંકોનો સરવાળો કરતાં જવાબ હંમેશા ૯ આવે છે. આમ અંક ૯ પૂર્ણતાનું પ્રતીક છે.
પુરાણો અનુસાર મા દુર્ગાએ ચામુંડેશ્વરી રુપ ધારણ કરીને મહિષાસુર નામનાં દાનવ સાથે લડાઈ કરી હતી અને દસમાં દિવસે વિજય મેળવ્યો હતો. આધ્યાત્મનાં માર્ગે જનારાઓએ પોતાની અંદર રહેલાં ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, ભય વગેરે રુપી દાનવો સાથે લડાઈ કરવાની હોય છે જેથી મોક્ષનાં માર્ગે આગળ વધી શકાય.
રાહુ આપણી કુંડળીમાં રહેલો દાનવ ગ્રહ છે. જે લોકો રાહુને શાંત કરવાં ઈચ્છતા હોય તેમનાં માટે નવરાત્રિ શ્રેષ્ઠ સમય છે. મા દુર્ગા રાહુની દેવી છે. નવરાત્રિમાં ઉપવાસ કરવાથી રાહુને શાંત કરી શકાય છે. નવરાત્રિ દરમ્યાન દેવી ભાગવત અથવા દુર્ગા સપ્તશતીનું પઠન કરવું. ઓમ ઐં હ્રીં કલીં ચામુંડાયે વિચ્ચે મંત્રનાં જાપ કરવાં.
જ્યોતિષની દ્રષ્ટિએ સૂર્ય જે દિશા તરફ જતો દેખાય તે પરથી ઋતુઓ નક્કી થાય છે. સૂર્યની ઉત્તર તરફ જવાની શરુઆતને ઉત્તરાયણ કહેવાય છે. ક્રમે ક્રમે પોતાનાં માર્ગમાં ભ્રમણ કરતાં ૨૨ માર્ચ આસપાસ સૂર્ય વિષુવવૃત પર આવીને વિષુવવૃતને ભેદીને ઉત્તર તરફ જતો દેખાય છે. અહીંથી સૂર્યની ઉત્તર ક્રાંતિ થતી હોઇ તેને સૂર્યનો ઉત્તર ગોલ પ્રવેશ કહેવાય છે. ભારતમાં આ સમય ઉનાળાની શરુઆતનો અને વસંત ઋતુનો હોય છે. સૂર્ય ફરી દક્ષિણ તરફ જવાની શરુઆત કરે તેને દક્ષિણાયનની શરુઆત થઈ કહેવાય છે. આ રીતે દક્ષિણ તરફ આગળ વધતાં ૨૨ સપ્ટેમ્બરની આસપાસ સૂર્ય વિષુવવૃત પર આવે છે અને તેને ભેદે છે. અહીંથી સૂર્યની દક્ષિણ ક્રાંતિ થતી હોઇ તેને સૂર્યનો દક્ષિણ ગોલ પ્રવેશ કહેવાય છે. આ સમય શિયાળાની શરુઆતનો અને શરદ ઋતુનો છે. આમ ઋતુઓનાં બે મહત્વનાં અને પરસ્પર વિરોધી ફેરફારનાં સમયે નવરાત્રિ મનાવવામાં આવે છે. ઋતુઓનાં ફેરફારની અસર વૃક્ષ, વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યો પર થાય છે. નવરાત્રિ મનાવીને આપણે આ પૃથ્વી પર ઋતુઓનું સમતુલન બનાવી રાખતી મા દુર્ગાનો આભાર માનીએ છીએ.
નવરાત્રિ એ ૯ રાત્રિનો તહેવાર છે. અંક ૯ આગવી અગત્યતા ધરાવે છે. જ્યોતિષમાં નવ ગ્રહો રહેલાં છે. ૯ ને કોઇ પણ અંક સાથે ગુણવાથી મળતાં જવાબનાં અંકોનો સરવાળો કરતાં જવાબ હંમેશા ૯ આવે છે. આમ અંક ૯ પૂર્ણતાનું પ્રતીક છે.
પુરાણો અનુસાર મા દુર્ગાએ ચામુંડેશ્વરી રુપ ધારણ કરીને મહિષાસુર નામનાં દાનવ સાથે લડાઈ કરી હતી અને દસમાં દિવસે વિજય મેળવ્યો હતો. આધ્યાત્મનાં માર્ગે જનારાઓએ પોતાની અંદર રહેલાં ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, ભય વગેરે રુપી દાનવો સાથે લડાઈ કરવાની હોય છે જેથી મોક્ષનાં માર્ગે આગળ વધી શકાય.
રાહુ આપણી કુંડળીમાં રહેલો દાનવ ગ્રહ છે. જે લોકો રાહુને શાંત કરવાં ઈચ્છતા હોય તેમનાં માટે નવરાત્રિ શ્રેષ્ઠ સમય છે. મા દુર્ગા રાહુની દેવી છે. નવરાત્રિમાં ઉપવાસ કરવાથી રાહુને શાંત કરી શકાય છે. નવરાત્રિ દરમ્યાન દેવી ભાગવત અથવા દુર્ગા સપ્તશતીનું પઠન કરવું. ઓમ ઐં હ્રીં કલીં ચામુંડાયે વિચ્ચે મંત્રનાં જાપ કરવાં.
ટિપ્પણીઓ
જય માતાજી
aabhar
મને લાગે છે કે સુર્યની ભ્રમણ કક્ષા હોઈ શકે નહિ કારણ કે આપણા સંદર્ભે સુર્ય ભ્રમણ કરતો નથી - પૃથ્વી સુર્યની આસપાસ ભ્રમણ કરેછે તેથી અહી ભૂલ થઇ હોય તેવું લાગેછે. તમારું શું માનવું છે?
તમારા બ્લોગ્સની ગુણવત્તા ખૂબ ઉંચી છે - ગુજરાતીમાં - અભિનંદન ! હું એક સાઈટ બનાવી રહ્યો છું પણ હજી પૂરી થઇ નથી. એક પેજ ની લીંક મોકલું છું અભિપ્રાય અને સજેશન્સ ને આવકારું છું. - https://sites.google.com/site/gujjujyotish/lekha/kalasarpayoganimayajala
- વિભુતિશગણેશ
આપના અભિનંદન બદલ આભાર. આપને આપની સાઈટ માટે શુભેચ્છાઓ.
પૃથ્વીને કેન્દ્રબિંદુ ગણવી એ ભારતીય જ્યોતિષનો પાયાનો સિદ્ધાંત છે. જો જ્યોતિષને સમજવું હશે તો આ સિદ્ધાંત સમજવો જરૂરી છે. જ્યાં સુધી જ્યોતિષને વિજ્ઞાન બનાવવાનો સવાલ છે તો હું કહીશ કે જ્યોતિષ એ વિજ્ઞાન કરતાં ક્યાંય આગળ છે. એવું તો નહોતું કે આપણાં ૠષિમુનિઓ જાણતા નહોતાં કે સૂર્ય એ કેન્દ્રબિંદુ છે અને બધાં ગ્રહો સૂર્ય આસપાસ પ્રદક્ષિણા કરી રહ્યા છે. પરંતુ તેમણે જોયું કે અવકાશમાં કશું જ સ્થિર નથી, સૂર્ય પણ નહિ. સૂર્ય પણ એક કેન્દ્રબિંદુ ફરતે અત્યંત ધીમી ગતિથી પ્રદક્ષિણા કરી રહ્યો છે. જેને વેદિક ફિલસૂફીમાં વિષ્ણુ નાભિ તરીકે ઓળખવામાં આવે છે. આથી અવકાશમાં કોઈ ચોક્ક્સ ગ્રહને સ્થિર ગણીને તેની આસપાસ પૃથ્વી અને બાકીનાં ગ્રહો ફરે છે તે ગણવાનું અસંગત હતું. વળી આપણું અસ્તિત્વ આ પૃથ્વી ગ્રહ પર છે. આથી પૃથ્વીને કેન્દ્રબિંદુ ગણીને દરેક અવકાશીય ઘટના કે સ્થિતિને પૃથ્વીના સંદર્ભમાં જોવાનું તર્કસંગત હતું.
જ્યારે આપ કાળસર્પયોગ જેવો સ્વતંત્ર લેખ લખી રહ્યા હો ત્યારે "પૃથ્વીની ભ્રમણકક્ષા" જેવા શબ્દોનો ઉપયોગ કરી શકો. પરંતુ જ્યારે જ્યોતિષનું જ્ઞાન પાયેથી આપવાનું હોય ત્યારે "સૂર્યની ભ્રમણક્ક્ષા" જ કહેવું પડે. કોઈ પણ વિદ્યારૂપી ઈમારત ખોટાં પાયારૂપી સિદ્ધાંતો પર ઉભી ન થઈ શકે.